જસદણની આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની વિદ્યાર્થિનીના મોતથી વિવાદ

રાજકોટના જસદણની આલ્ફા નવોદય સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરતી 10 વર્ષની વિદ્યાર્થિનીને પહેલા અછબડા અને તાવ આવ્યા બાદ તબિયત બગડતા પ્રથમ જસદણ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી, પરંતુ ત્યાં દીકરીએ દમ તોડી દીધો. વિદ્યાર્થિની છેલ્લા 15 દિવસથી બિમાર હતી અને સ્કૂલ દ્વારા દીકરીને અછબડા થયા છતાં તેની જાણ પરિવારને કરવામાં ન આવી.

જે બાદ તબિયત ખરાબ થતા પરિવારને જાણ કરવામાં આવતા પરિવારજનોએ શાળા સંચાલકોની બેદરકારીના ગંભીર આક્ષેપો કર્યા છે. સ્કૂલની હોસ્ટેલના સંચાલક દ્વારા બેદરકારી હોવાનું સ્વીકારવામાં આવ્યું, ત્યારે આ મામલે શિક્ષણ વિભાગ શું એકશન લે છે તે આગામી સમય જ બતાવશે.

આલ્ફા હોસ્ટેલના હિરેન શંખારવાએ જણાવ્યું હતું કે, આજે બપોરે 1 વાગ્યે દીકરીએ કહ્યું કે, પગમાં ખાલી ચડી ગઈ છે. જે બાદ ઊભી થવાનું કહ્યું તો હલન ચલન નહોતી કરતી. જેથી અમને એવું હતું કે આંચકી ઉપડી છે. જે બાદ અમે તુરંત જ હોસ્પિટલમાં તેને લઈ ગયા અને ઇમરજન્સીમાં ટ્રીટમેન્ટ શરૂ કરી દેવામાં આવી. જોકે ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે, ઓક્સિજનનો પ્રોબ્લેમ છે અને બીપી લો થાય છે જેથી રાજકોટ લઈ જવા પડશે.

જે બાદ અમે પહેલા અમૃતા અને ત્યારબાદ સિનરજી હોસ્પિટલ મળી ગયા તો ત્યાંથી એવું કહેવા માગ્યું કે સિવિલ હોસ્પિટલમાં લઇ જાઓ. જોકે અગાઉ દીકરીને અછબડા થયા હતા, ત્યારે તેની જાણ પરિવારને કરવામાં આવી ન હતી. જોકે તે વખતે દવા તો આપી જ હતી. તે વખતે બેદરકારી થઈ હતી તેઓ સ્વીકારું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *