61 વર્ષનો આમિર ખાન ત્રીજી વાર લગ્ન કરશે!

બોલિવૂડ એક્ટર આમિર ખાન અને તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ના રિપોર્ટ અનુસાર, બંને આ વર્ષે 5 જુલાઈએ એક પ્રાઈવેટ સેરેમનીમાં લગ્ન કરશે. આ લગ્નમાં કોઈ ભવ્ય આયોજન કે ગ્રાન્ડ રિસેપ્શન રાખવામાં આવશે નહીં.

અંગત સમારોહમાં સંબંધને સત્તાવાર નામ આપશે

બંને એક નાની સાઈનિંગ સેરેમની દ્વારા પોતાના સંબંધોને ઓફિશિયલ કરશે. આમિર ખાને વર્ષ 2025માં પોતાના 60મા જન્મદિવસ પર ગૌરી સાથેના પોતાના રિલેશનશિપની વાત મીડિયા સામે કન્ફર્મ કરી હતી. આમિર ખાનના આ ત્રીજા લગ્ન હશે.

આમિરે પહેલા લગ્ન વર્ષ 1986માં ફિલ્મ પ્રોડ્યુસર રીના દત્તા સાથે કર્યા હતા. વર્ષ 2002માં રીનાથી અલગ થયા પછી, આમિરે વર્ષ 2005માં ડિરેક્ટર કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા હતા. વર્ષ 2021માં કિરણ અને આમિરના છૂટાછેડા થઈ ગયા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર, આમિર અને ગૌરી છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી લિવ-ઇન પાર્ટનર તરીકે સાથે રહી રહ્યા છે. સૂત્રો અનુસાર, બંને એક સાથે એક સુખી અને સ્થિર જીવન જીવી રહ્યા છે.

હવે બંનેએ પોતાના પરિવારના સભ્યોની હાજરીમાં આ સંબંધને કાયદેસર રીતે આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. કપલના લગ્ન અત્યંત ખાનગી હશે, જેમાં ફક્ત બંનેના પરિવારના સભ્યો અને ખૂબ જ નજીકના મિત્રો જ સામેલ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *