અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે દાવો કર્યો છે કે ઈરાનના કટ્ટરપંથી નેતાઓ આખરે નમી જશે. ફોક્સ ન્યૂઝના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે કહ્યું કે તેઓ ઈરાન સાથે ત્યાં સુધી કડકાઈથી વર્તતા રહેશે, જ્યાં સુધી કોઈ સમજૂતી ન થઈ જાય.
જ્યારે તેમને અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાતચીત વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે જ્યાં સુધી તેઓ સમજૂતી નહીં કરે ત્યાં સુધી હું તેમની સાથે નિપટતો રહીશ.
આ અગાઉ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝશકિયાને કહ્યું હતું કે ઈરાન પ્રાદેશિક તણાવને પહોંચી વળવા માટે ઘણા રસ્તાઓ પર વિચાર કરી રહ્યું છે. જેમાં સન્માન અને મજબૂતી સાથેની વાતચીત પણ સામેલ છે.
અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ વાટાઘાટો અનેક મોટા વિવાદિત મુદ્દાઓમાં ગૂંચવાયેલી છે. હોર્મુઝ સ્ટ્રેટ, ઈરાની જહાજોની અમેરિકી નાકેબંધી, પરમાણુ કાર્યક્રમ, પ્રતિબંધોમાં રાહત અને બેલેસ્ટિક મિસાઈલ જેવા મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે મતભેદો યથાવત છે.