જસદણમાં સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત જિલેશ્વર પાર્કથી નગરપાલિકા કચેરી સુધી મેરેથોન યોજાઈ

ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે દેશભરમાં સ્વચ્છતા માટેના જન આંદોલનને આહવાન આપવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’ની થીમ સાથે ‘સ્વચ્છતા જ સેવા-2024’ પખવાડિયાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં રાજ્યની 8 મહાપાલિકા અને 157 નગરપાલિકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત જસદણ શહેરમાં આવેલા જિલેશ્વર પાર્ક ખાતે મેરેથોન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોન જિલેશ્વર પાર્કથી નગરપાલિકા કચેરી સુધી રાખવામાં આવી હતી. જેમાં નગરપાલિકાના પૂર્વ સદસ્યો, સ્ટાફ, વિદ્યાર્થીઓ અને શહેરના સ્થાનિક લોકો જોડાયા હતા. આ કાર્યક્રમ સફળાપૂર્વક પૂર્ણ થયા બાદ નગરપાલિકા કચેરી ખાતે ખાસ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને કચેરી ચોખ્ખીચણાક કરવામાં આવી હતી. ત્યારબાદ સૌને સ્વચ્છતા અંગેનો સંદેશો આપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *