પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને ગુરુવારે રાત્રે રાવલપિંડીની અડિયાલા જેલમાંથી ઇસ્લામાબાદની શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.
ઇમરાનના હોસ્પિટલ પહોંચતા જ બિલ્ડિંગની બધી લાઈટો બંધ કરી દેવામાં આવી. હોસ્પિટલ સ્ટાફના મોબાઈલ જમા કરાવી લેવામાં આવ્યા. ગેટની બહાર હાજર મીડિયાકર્મીઓને હટાવી દેવામાં આવ્યા.
ઇમરાનને સુપ્રીમ કોર્ટના આદેશ પછી સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. કોર્ટે મંગળવારે આદેશ આપ્યો હતો કે ઇમરાન ખાનને બે દિવસની અંદર હોસ્પિટલ લઈ જવામાં આવે. તેમને 16 સપ્ટેમ્બર સુધી ત્યાં જ રાખવા માટે કહેવામાં આવ્યું હતું.
તેમના પરિવારે અને વકીલોએ તેમની તબિયતને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને પોતાની પસંદગીના ડોક્ટરો પાસે સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવાની માંગ કરી હતી.