બાંગ્લાદેશમાં પૂર્વ PM ઝિયાનું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવામાં આવશે

બાંગ્લાદેશમાં વિપક્ષી નેતા અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના બેંક ખાતા પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. નેશનલ બોર્ડ ઓફ રેવન્યુ (NBR) એ સોમવાર (19 ઓગસ્ટ)ના રોજ જીયાના બેંક ખાતાઓને અનફ્રીઝ કરવાનો નિર્ણય લીધો હતો. તેમના બેંક ખાતા 17 વર્ષથી ફ્રીઝ કરવામાં આવ્યા છે. એકાઉન્ટ ક્યારે અનફ્રીઝ કરવામાં આવશે તે જાણી શકાયું નથી.

NBRના સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ સેલે ઓગસ્ટ 2007માં ખાલિદા ઝિયાના ખાતા ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારથી તેના એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યા છે. BNPએ અનેક વખત તેમના ખાતા ખોલવાની માગણી કરી છે. શેખ હસીના સત્તામાંથી બહાર થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બંગાળી અખબાર ડેઈલી સ્ટાર અનુસાર, NBRએ કહ્યું કે, ખાલિદા ઝિયા વિરુદ્ધ કોઈ તપાસ કેસ નથી, તેથી બેંકોને તેમના તમામ ખાતાઓ અનફ્રીઝ કરવા સૂચના આપવામાં આવી છે. આ પહેલા હસીનાએ 5 ઓગસ્ટે દેશ છોડ્યા બાદ ખાલિદાને જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી. તેને 2018માં ભ્રષ્ટાચારના કેસમાં 17 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *