શ્રી આશીર્વાદ સ્કૂલના બાળકો દ્વારા દિવાળી સેલનું આયોજન કરેલ છે જેમાં ઝુપડપટ્ટીમાં રહેતા બાળકો દ્વારા બનાવેલ અવનવી વસ્તુઓ જેવી કે માટીમાંથી બનાવેલ ફ્લાવરપોટ દીવા જાદુઈ દીવા તુલસી ક્યારા સ્ટેન્ડ ફાનસ વગેરે જેવી આશરે ૨૨ જેટલી આઈટમનો વેચાણ તથા પ્રદર્શન રાખેલ છે જે સંપૂર્ણ બાળકો દ્વારા બનાવેલ અને બાળકો દ્વારા સંચાલિત આયોજન છે. સ્થળ શ્રી આશીર્વાદ સ્કૂલ વેલનગર તારીખ 15 ઓક્ટોબર અને 16 ઓક્ટોબર સમય સવારના આઠથી સાંજના પાંચ વાગ્યા સુધીનો રહેશે.