જન્માષ્ટમીનાં તહેવારો દરમિયાન ઝૂ ખાતે 66,372 અને રામવન ખાતે 5,430 લોકોએ મુલાકાત લીધી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત રાજકોટ પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના માર્ગદર્શન મુજબ આધુનિક રીતે વિકાસ કરવામાં આવ્યો છે. આ કારણે રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે એક ઉત્તમ સ્થળ બની ગયું છે. જાહેર રજાઓ અને તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવે છે. આ વર્ષે તા. 15-8-2025થી તા. 18-8-2025 દરમિયાન પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે કુલ 66,372 અને રામવન ખાતે કુલ 5,430 મુલાકાતીઓએ મુલાકાત લઈ આનંદ માણ્યો હતો.

અન્ય સમાચાર રાજકોટમાં આગામી તા. 20થી 28-8 સુધી પર્યુષણ પર્વ ઉજવવામાં આવનાર છે. જે નિમિત્તે રાજકોટ મનપાનાં વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા અને માંસ-મટન-મચ્છી તથા ચીકનનું વેચાણ કરવા પર મ્યુ. કમિશનરે પ્રતિબંધ મૂકયો છે. મ્યુ. કમિશનરે આ માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જણાવાયું છે કે, તમામ સંબંધકર્તાએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે જીપીએમસી-1949ની કલમ 329 અને 336 તથા કોર્પો.ના બાયલોઝ હેઠળ ધોરણસર કાર્યવાહી કરવામાં આવશે. તેવી ચેતવણી જાહેરનામામાં મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ આપી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *