પોતાની એરલાઇન્સ શરૂ નહીં કરે અદાણી ગ્રુપ

અદાણી ગ્રુપે તે તમામ સમાચારો અને અટકળોને નકારી કાઢી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે ગ્રુપ પોતાની એરલાઇન શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. કંપનીએ સત્તાવાર નિવેદન જારી કરીને આ મીડિયા રિપોર્ટ્સને સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે.

હાલમાં મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે અદાણી ગ્રુપ ભારતના એવિએશન સેક્ટરમાં પોતાની હાજરી મજબૂત કરવા માટે પોતાની એરલાઇન શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે સરકાર પાસેથી નિયમોમાં ફેરફારની માંગ કરી રહ્યું છે.

અદાણી ગ્રુપે એક નિવેદન જારી કરીને આ તમામ રિપોર્ટ્સનો સંપૂર્ણપણે ખંડન કર્યું છે. ગ્રુપે કહ્યું કે “અમે હાલના મીડિયા રિપોર્ટ્સ અને બજારમાં ચાલી રહેલી અટકળોનો સંપૂર્ણપણે ખંડન કરીએ છીએ. આ સમાચારો સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા છે. કંપની એરલાઇન બિઝનેસમાં પ્રવેશવાના કોઈપણ પ્રસ્તાવ પર વિચાર કરી રહી નથી.”

રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) એરલાઇન અને એરપોર્ટ બિઝનેસ વચ્ચે ક્રોસ-ઓનરશિપના નિયમોને સરળ બનાવવા પર વિચાર કરી રહ્યું છે. વર્તમાન નિયમો અનુસાર, એરપોર્ટ ચલાવતા ઓપરેટરો કોઈપણ એરલાઇનમાં 10%થી વધુ હિસ્સેદારી રાખી શકતા નથી. ચર્ચા હતી કે અદાણી ગ્રુપ આ 10%ની મર્યાદા હટાવવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *