ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં 12,000 લોકોએ યોગાસન કર્યા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે અમેરિકી શહેર ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં શનિવારે 12 હજારથી વધુ લોકોએ યોગાસન કર્યા. દુનિયાના સૌથી વ્યસ્ત ચોક પૈકી એક ગણાતી આ જગ્યાએ અલગ-અલગ દેશો અને સમુદાયોના લોકો યોગ કરવા માટે એકઠા થયા.

આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમારોહના મુખ્ય આકર્ષણ યોગ ગુરુ ડો. એચ.આર. નાગેન્દ્ર રહ્યા. બેંગલુરુ સ્થિત એસ-વ્યાસા યુનિવર્સિટીના અધ્યક્ષ ડો. નાગેન્દ્રને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોગ ગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે કહ્યું કે આ વર્ષે યોગ દિવસની થીમ ‘સ્વસ્થ અને લાંબી ઉંમર માટે યોગ’ છે.

આયોજકોના મતે, આ વખતે 12 હજારથી વધુ લોકોએ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું. સહભાગીઓએ કહ્યું કે ટાઈમ્સ સ્ક્વેર જેવી ભીડભાડવાળી જગ્યાએ યોગ કરવો એક અનોખો અનુભવ છે અને તેનાથી લોકોને શાંતિનો અહેસાસ થાય છે.

સંયુક્ત રાષ્ટ્રએ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રસ્તાવ પર 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યો હતો. ત્યારથી દુનિયાના ઘણા દેશોમાં દર વર્ષે મોટા પાયે યોગ દિવસ ઉજવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *