નેશનલ ટીચર્સ એવોર્ડ 2026ની જાહેરાત, 48 નામ

કેન્દ્ર સરકારે શુક્રવારે નેશનલ ટીચર્સ એવોર્ડ 2026ની જાહેરાત કરી. દેશભરમાંથી 48 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય, સૈનિક સ્કૂલ, આદર્શ આદિવાસી સ્કૂલ અને પીએમ શ્રી સ્કૂલો સહિત અનેક સંસ્થાઓના શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.

48 શાળાના શિક્ષકોમાંથી 26 પુરુષ અને 22 મહિલા શિક્ષકો છે. ઉત્તર પ્રદેશમાંથી ત્રણ, બિહાર અને એમપીમાંથી બે-બે શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 5 સપ્ટેમ્બરે શિક્ષકોને આ પુરસ્કાર આપશે. 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ વર્ષે પસંદ કરાયેલા 48 શાળા શિક્ષકો 27 રાજ્યો, 7 કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્ર સરકારના 6 સંગઠનોમાંથી છે. તેમાં 26 પુરુષો અને 22 મહિલાઓનો સમાવેશ થાય છે.

પસંદ કરાયેલા શિક્ષકોમાં આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાંથી જે પ્રકાશ રાવ, આંધ્ર પ્રદેશમાંથી રાજેશ કૌલુરી, અરુણાચલ પ્રદેશમાંથી યાકુ તામે, આસામમાંથી રાજેશ બોરદોલોઈ, દિલ્હીમાંથી સુમન ગોયલ અને આદિજાતિ બાબતોના મંત્રાલયની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાંથી ઝફર આલમનો સમાવેશ થાય છે.

ગોવાથી મહાદેવ હનમંત શિંદે, ગુજરાતમાંથી નિતિન કુમાર મહેન્દ્રકુમાર પાઠક, હરિયાણામાંથી અનિલ કૌશિક, હિમાચલ પ્રદેશમાંથી મંજરી વી મહાજન, જમ્મુ-કાશ્મીરમાંથી મોહમ્મદ અયાઝ રૈના અને મધ્ય પ્રદેશમાંથી અર્ચના શુક્લાને પણ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે.

આ યાદીમાં મહારાષ્ટ્ર, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, લદ્દાખ અને અન્ય પ્રદેશોના શિક્ષકોનો પણ સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *