20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી ગાડી ખરાબ થવા પર કંપનીઓ મફતમાં પાર્ટ્સ બદલશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે સરકારે કંપનીઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ E20 ફ્યુઅલથી પ્રભાવિત જૂની ગાડીઓના (2023 પહેલાની) પાર્ટ્સને કોઈ વધારાના ચાર્જ વિના બદલે.
તેમણે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે E20 ફ્યુઅલથી સોશિયલ મીડિયા પર ગાડીઓ ખરાબ થવાના કે નુકસાન થવાના સમાચાર ખોટા છે અને આ એક ખોટો નેરેટિવ છે. જોકે, તેમણે જૂની ગાડીઓનું માઇલેજ ઓછું થવાની વાત સ્વીકારી છે.
ગડકરીએ કહ્યું કે સર્વિસિંગ માટે જતી જૂની કારોમાં પહેલા વોશર્સ મેટલ (ધાતુ)ના બનેલા હતા, જ્યારે હવે તે રબરના બનાવવામાં આવી રહ્યા છે. અમે કંપનીઓને કડક નિર્દેશ આપ્યા છે કે સર્વિસિંગ દરમિયાન ગ્રાહકો પાસેથી કોઈ વધારાનો ચાર્જ લીધા વિના આ વોશર્સ બદલવામાં આવે.
સોશિયલ મીડિયા પર ચાલી રહેલા સમાચાર ખોટા
ગડકરીએ ઇથેનોલથી ગાડીઓ ખરાબ થવાના દાવાઓને નકારી કાઢ્યા. તેમણે પડકાર ફેંકતા કહ્યું, “મને એક પણ એવી કાર બતાવો જે E20 ફ્યુઅલને કારણે ખરાબ થઈ હોય અથવા જેને કોઈ નુકસાન થયું હોય.
સોશિયલ મીડિયા પર જે કંઈ પણ ચલાવવામાં આવી રહ્યું છે, તે એક સુનિયોજિત રણનીતિ હેઠળ તૈયાર કરાયેલું ખોટું નેરેટિવ છે. અત્યાર સુધી એવી કોઈ પણ કાર મળી નથી, જે આ E20 પેટ્રોલને કારણે બંધ પડી હોય.”