ઉદ્ધવ ઠાકરેએ BJPને ‘બાબર જનતા પાર્ટી’ ગણાવી

શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટી છોડીને એકનાથ શિંદે જૂથમાં સામેલ થયેલા છ 6 સાંસદોની સદસ્યતા રદ કરવાની માંગ કરી. તેમણે કહ્યું, ‘જો દેશમાં કાયદાનું શાસન છે તો આ સાંસદોને અયોગ્ય ઠેરવવા જોઈએ. આ સાંસદો વિકાસ માટે નહીં, પરંતુ પોતાના સ્વાર્થ માટે ગયા છે.’

ઉદ્ધવે રામ મંદિરમાં ચઢાવા ચોરીનો મુદ્દો ઉઠાવતા BJPને ‘બાબર જનતા પાર્ટી’ ગણાવી. તેમણે કહ્યું, ‘બાબરે રામ મંદિર તોડ્યું હતું. હવે બાબર જનતા પાર્ટી નવા બનેલા રામ મંદિરને લૂંટી રહી છે. બંનેમાં શું ફરક છે?’

ઉદ્ધવ આ દિવસોમાં મરાઠવાડાના પ્રવાસે છે. બાકીના સાંસદોના સંસદીય ક્ષેત્રોમાં જઈને જનસભાઓ કરી રહ્યા છે. રવિવારે તેમણે પરભણી અને ધારાશિવમાં અલગ-અલગ સભાઓને સંબોધિત કરી.

પરભણીમાં જ ઉદ્ધવે કહ્યું કે છ સાંસદોનો પક્ષપલટો ‘ઓપરેશન દેવેન્દ્ર’નો ભાગ છે. ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ પહેલા પોતાના જ નેતાઓની પાંખો કાપે છે. શિવરાજ સિંહ ચૌહાણ, નીતિન ગડકરી અને દેવેન્દ્ર ફડણવીસ તેના ઉદાહરણ છે.

તેમણે કહ્યું કે ગડકરીની પાંખો એટલા માટે કાપવામાં આવી જેથી તેઓ વડાપ્રધાન ન બની શકે. જો તેઓ બીજી વખત ભાજપ અધ્યક્ષ બન્યા હોત તો RSSના સમર્થનથી વડાપ્રધાન બની શક્યા હોત. શિવસેનાને તોડવા પાછળ પણ દેવેન્દ્ર ફડણવીસને રોકવાની રાજનીતિ છે. તેઓ દિલ્હી જવાનું સપનું જોઈ રહ્યા છે. આ મહારાષ્ટ્ર માટે વધુ એક આંચકો હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *