યુનેસ્કોએ 2023ના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે ગરબાની પસંદગી કરી

ગુજરાતની ગૌરવંતી સાંસ્કૃતિક પરંપરા ‘ગરબા’ને હવે વૈશ્વિક સ્તરે નામના મળવા જઈ રહી છે. યુનેસ્કો દ્વારા આજે ગરબાને વર્ષ 2023નો અમૂર્ત સાંસ્કૃતિક વારસો (આઇસીએચ) જાહેર કરવામાં આવશે. આ અંગે આજે સાંજે 6 વાગ્યાથી લાઈવ વેબકાસ્ટ કરવામાં આવશે. આ સંદર્ભમાં વિવિધ સ્થળે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે સાંજે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી પવિત્ર યાત્રાધામ અંબાજી ચાચર ચોક મંદિર ખાતે ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત યુનેસ્કો દ્વારા ગરબા લોકનૃત્યની હેરિટેજમાં સ્થાન મળતાં તેની જાહેરાતનું લાઈવ ટેલીકાસ્ટ આ કાર્યક્રમની અંદર ઓનલાઈન માધ્યમથી પ્રસારણ નિહાળવા બનાસકાંઠા જિલ્લાના તમામ કલાકારો, નૃત્ય કલાસીસો, ગરબા ક્લાસીસ, રાસ મંડળો, તમામ શાળા-કોલેજ, તમામ નગરજનો, યુવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ અને તમામ જાહેર જનતાને બહોળી સંખ્યામા આ કાર્યક્ર્મનો લાભ લેવા જણાવાયું છે. યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક ખજાનાની યાદીમાં સમાવેશ કરવા માટે ભારતે ગુજરાતની પ્રતિષ્ઠિત પરંપરાગત નૃત્ય શૈલી ગરબાનો પ્રસ્તાવ 2 વર્ષ અગાઉ મૂક્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *