ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી ટેસ્ટ મેચ આજથી ગૉલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. જોકે મેચના પ્રથમ દિવસે અહીં 90% વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
હવામાન વેબસાઇટ એક્યુવેધર અનુસાર મેચના પાંચેય દિવસ વરસાદ પડી શકે છે. શનિવારે ગૉલમાં સવારથી જ વરસાદ શરૂ થઈ જશે. મેચ સવારે 10 વાગ્યાથી શરૂ થશે.
ગૉલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં 50મી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. અત્યાર સુધી રમાયેલી 49 મેચમાં આ મેદાનની પીચ સ્પિનર્સને મદદરૂપ રહી છે.
26 મેચ પહેલા બેટિંગ કરનારી ટીમે જીતી છે, જ્યારે 16 મેચ પહેલા બોલિંગ કરનારી ટીમે જીતી છે. શ્રીલંકન કેપ્ટન ધનંજય ડી સિલ્વાએ જણાવ્યું કે આ મેચની પીચમાં ભેજ રહી ગયો છે અને સ્પિન ઓછો થશે.
કેપ્ટન શુભમન ગિલ સહિત 12 ખેલાડીઓ પાસે શ્રીલંકામાં રમવાનો અનુભવ નથી. માત્ર કેએલ રાહુલ અને રવીન્દ્ર જાડેજા પાસે જ ગૉલ સ્ટેડિયમમાં ટેસ્ટ રમવાનો અનુભવ છે. કુલદીપે એકમાત્ર ટેસ્ટ પલ્લેકેલેમાં રમી છે.
ભારતીય બેટર્સ 2021 પછીથી સ્પિનર્સ સામે સંઘર્ષ કરી રહ્યા છે. મોટા ભાગના બેટર્સ નવા છે. એવામાં ભારતીય બેટર્સ સામે સૌથી મોટો પડકાર સ્પિન ટ્રેક પર બેટિંગ કરવાનો રહેશે.
જસપ્રીત બુમરાહ, વોશિંગ્ટન સુંદર, સાઈ સુદર્શન અને હર્ષિત રાણા જેવા નિયમિત ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે. સારાંશ જૈન અને ગુરનૂર બ્રાર જેવા નવા ખેલાડીઓને તક મળી છે.