ભારત 12 વર્ષ પછી ઇંગ્લેન્ડ સામે ટી-20 સિરીઝ હારી ગયું. બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડમાં રમાયેલી ચોથી ટી-20માં ઇંગ્લેન્ડે 159 રનનો ટાર્ગેટ માત્ર 13.5 ઓવરમાં એક વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ સાથે, ઇંગ્લેન્ડે પાંચ મેચની શ્રેણીમાં 3-0થી લીડ મેળવી લીધી.
ઇંગ્લેન્ડે ભારત સામે છેલ્લી ટી-20 સિરીઝ 2014માં જીતી હતી. ત્યાં જ ભારતે 2018-19 પછી પહેલી વાર સતત બીજી ટી-20 સિરીઝ ગુમાવી. આ પહેલા ટીમ આયર્લેન્ડ સામે 2-0થી સિરીઝ હારીને આવી હતી.
શ્રેયસની ફિફ્ટી, સૂર્યવંશી 15 રન બનાવી શક્યા ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી, પરંતુ શરૂઆત સારી રહી નહીં. 48 રન સુધી ત્રણ વિકેટ પડી ગઈ. ત્યારબાદ કેપ્ટન શ્રેયસ અય્યરે એક છેડો સાચવતા 49 બોલમાં અણનમ 80 રન બનાવ્યા. તેમણે પોતાની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગા લગાવ્યા, પરંતુ બીજા બેટ્સમેનો તેમનો સાથ આપી શક્યા નહીં. ભારતે 20 ઓવરમાં 7 વિકેટ પર 158 રન બનાવ્યા.
15 વર્ષના વૈભવ સૂર્યવંશી એક વાર ફરી મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા. તેઓ 10 બોલમાં 15 રન બનાવીને જોફ્રા આર્ચરના બોલ પર આઉટ થયા. ત્રણ ટી-20 ઇન્ટરનેશનલ પછી વૈભવના બેટમાંથી અત્યાર સુધી માત્ર 42 રન જ નીકળ્યા છે. તેમણે પહેલી મેચમાં 14, બીજીમાં 13 રન બનાવ્યા હતા.