સુવેન્દુના પીએને જ્યારે ગોળી વાગી, તેઓ કોલ પર હતા

પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા સુવેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથ હત્યાકાંડમાં નવો ખુલાસો થયો છે. ભાજપ ધારાસભ્ય શંકર ઘોષે દાવો કર્યો કે જ્યારે ચંદ્રનાથને ગોળી મારવામાં આવી ત્યારે તેઓ તેમની સાથે ફોન પર વાત કરી રહ્યા હતા.

શંકર ઘોષે કહ્યું કે અમે આગામી શપથ ગ્રહણની વાત કરી રહ્યા હતા. ત્યારે ફોન પર ગોળીઓનો અવાજ સંભળાયો. પછી કોઈના કણસવાનો અવાજ આવ્યો. આ દરમિયાન મારો ફોન કપાઈ ગયો. ફરીથી કોલ કર્યો તો ઉપાડ્યો નહીં.

ચંદ્રનાથ રથની બુધવારે રાત્રે 10.30 વાગ્યે ગોળી મારીને હત્યા કરવામાં આવી. 42 વર્ષીય ચંદ્રનાથ કોલકાતાથી મધ્યમગ્રામ જઈ રહ્યા હતા, જ્યાં તેઓ ભાડાના મકાનમાં એકલા રહેતા હતા. હુમલાખોરે તેમને છાતીમાં બે અને પેટમાં એક ગોળી મારી.

બુધવારે રાત્રે લગભગ 10 વાગ્યે જ્યારે તેઓ ઉલટાડાંગાથી પાછા ફરી રહ્યા હતા, ત્યારે તેઓ ફોન પર રથ સાથે વાત કરી રહ્યા હતા. અમે ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસ અને શનિવારે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં યોજાનાર શપથ ગ્રહણ સમારોરોહ વિશે ચર્ચા કરી રહ્યા હતા.

અચાનક ગોળીઓના અવાજ આવ્યા, પછી કરાહવાનો અવાજ આવ્યો. મેં રથને વારંવાર ફોન કર્યો, પરંતુ બીજી તરફથી કોઈ જવાબ મળ્યો નહીં. પછી એક મેસેજ મોકલ્યો અને પૂછ્યું, ‘શું તમે ઠીક છો?’ કોઈ જવાબ આવ્યો નહીં. થોડી વાર પછી મેં ફરી ફોન કર્યો, તો કોઈ અજાણ્યા વ્યક્તિએ કોલ ઉપાડ્યો અને મને જણાવ્યું કે ચંદ્રનાથને ગોળી મારી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *