વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થશે કે નહીં, AI જણાવશે

ભારતીય રેલવે તેના 40 વર્ષ જૂના પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS)ને સંપૂર્ણપણે બદલવા જઈ રહ્યું છે. નવી સિસ્ટમ AIની મદદથી જણાવશે કે વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થશે કે નહીં.

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે અધિકારીઓ સાથે બેઠક કરી અને ઓગસ્ટથી ટ્રેનોને નવી અપગ્રેડ સિસ્ટમ પર શિફ્ટ કરવાના નિર્દેશ આપ્યા.

વર્તમાન રિઝર્વેશન સિસ્ટમ વર્ષ 1986માં શરૂ થઈ હતી. છેલ્લા 40 વર્ષમાં તેમાં ઘણા નાના ફેરફારો કરવામાં આવ્યા, પરંતુ હવે તેને લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી સંપૂર્ણપણે નવું કરવામાં આવ્યું છે, જેથી તેની ક્ષમતા વધારી શકાય.

રેલવે 40 વર્ષ જૂના રિઝર્વેશન સિસ્ટમને અપગ્રેડ કરી રહ્યું છે. ઓગસ્ટથી ટ્રેનોને જૂની સિસ્ટમમાંથી નવી અને એડવાન્સ સિસ્ટમ પર શિફ્ટ કરવાની પ્રક્રિયા શરૂ થશે. તેનો હેતુ બુકિંગ ક્ષમતા વધારવાનો અને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે.

મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે સિસ્ટમ અપગ્રેડ કરતી વખતે મુસાફરોને કોઈ અસુવિધા ન થવી જોઈએ. વૈષ્ણવે શિફ્ટિંગને સરળ અને પારદર્શી બનાવવા પર ભાર મૂક્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *