ભારતે ચોથી વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું. ટીમે ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી બીજી સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને 7 રનથી હરાવી દીધું. મેચમાં ઘણી મહત્વપૂર્ણ મોમેન્ટ્સ જોવા મળી. કેપ્ટન હેરી બ્રુકે સંજુ સેમસનનો કેચ 15 રન પર છોડી દીધો, જે પાછળથી ઇંગ્લેન્ડ પર ભારે પડ્યો.
ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને શિવમ દુબેના શાનદાર કેચે મેચનો માર્ગ ભારત તરફ વાળી દીધો. સ્ટેડિયમમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા પણ આ મુકાબલો જોવા પહોંચ્યા.
ભારતના વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન એમએસ ધોની અને રોહિત શર્મા મેચ જોવા વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યા. ભારતીય બેટિંગની 19મી ઓવરમાં તિલક વર્માએ આર્ચરના બોલ પર છગ્ગો ફટકાર્યો. આ દરમિયાન ધોની અને રોહિતે તાળીઓ પાડીને શોટને બિરદાવ્યો.