રાજકોટમાં ભૂકંપના 12 આંચકાએ 26 જાન્યુ. 2001ની યાદ અપાવી

રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગઇકાલ સાંજથી આજે બપોરે 12 સુધીમાં 12 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. મોટા ભાગના આંચકાનું કેન્દ્ર બિંદુ જેતપુરના લુણાગરી ગામ આજુ બાજુ જ નોંધાયું છે. જેને લઇને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ફેલાયો છે. જાનહાનિના કોઈ સમાચાર ન હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, સલામતીને લઇને ધોરાજી-જેતપુરની તમામ શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે. બીજી તરફ સિસ્મોલોજી વિભાગે જેતપુર, ઉપલેટા અને ધોરાજીના મામલતદાર પાસે રિપોર્ટ માંગ્યો છે. સ્થાનિક લોકોને આ આંચકાઓએ 2001ની યાદ અપાવી દીધી છે.

6 કલાકમાં ભૂકંપના 11 આંચકા ગઇકાલે સાંજે 8 વાગ્યાને 43 મિનિટે પહેલો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ ઉપલેટાથી 30 કિલોમીટર દૂર નોંધાયું હતું. જ્યારે આજે વહેલી સવારે છ વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં છ કલાકમાં 11 આંચકા નોંધાતા લોકોના જીવ અધ્ધ થઇ ગયા છે. આ તમામ આંચકાનું કેન્દ્ર બિંદુ જેતપુરના લુણાગરી ગામ આજુ બાજુ જ નોંધાયું છે. જ્યારે તીવ્રતા 2.6 થી 3.8ની હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *