PM સૂર્ય ઘર યોજનામાં 25 લાખ કનેક્શન થયા

PM સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ અત્યાર સુધીમાં 25 લાખ ઘરોમાં રૂફટોપ સોલર સિસ્ટમ લગાવવામાં આવી છે. આ યોજના 13 ફેબ્રુઆરી 2024 ના રોજ શરૂ થઈ હતી. તે અંતર્ગત 300-300 યુનિટ મફત વીજળી મળે છે.

આ યોજના હેઠળ રૂફ ટોપ સોલર પેનલ લગાવનાર પરિવારોને વાર્ષિક 15 હજાર રૂપિયાની આવક પણ થાય છે. સરકાર 1 કરોડ ઘરોને આ યોજના સાથે જોડવા માંગે છે

આ યોજનામાં દરેક પરિવાર માટે 2 KW સુધીના સોલર પ્લાન્ટના ખર્ચના 60% પૈસા સબસિડી તરીકે ખાતામાં આવશે. જ્યારે જો કોઈ 3 KW નો પ્લાન્ટ લગાવવા માંગે છે, તો વધારાના 1 KW ના પ્લાન્ટ પર 40% સબસિડી મળશે.

3 KW નો પ્લાન્ટ લગાવવામાં આશરે 1.50 લાખ રૂપિયાનો ખર્ચ આવશે. તેમાંથી 90,000 હજાર રૂપિયાની સબસિડી સરકાર આપશે. બાકીના રૂપિયા માટે સરકારે સસ્તી બેંક લોનની વ્યવસ્થા કરી છે. બેંકો રેપો રેટ કરતા ફક્ત 0.5% જ વધુ વ્યાજ વસૂલી શકશે. હાલમાં રેપો રેટ 5.25% પર છે એટલે કે તમને 5.75% વ્યાજ પર લોન મળી શકે છે.

ડિસ્કૉમ કંપનીઓ આ વિગતોને વેરિફાય કરશે અને પ્રક્રિયા આગળ વધારશે. પોર્ટલ પર ઘણા વિક્રેતાઓ પહેલાથી જ રજિસ્ટર્ડ છે જે સોલર પેનલ લગાવે છે. તમે તમારી અનુકૂળતા મુજબ કોઈપણ વિક્રેતા પસંદ કરી શકો છો. પેનલ લાગ્યા પછી ડિસ્કૉમ નેટ મીટરિંગ ઇન્સ્ટોલ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *