NHAIના રાજમાર્ગ ટ્રસ્ટને સેબીની મંજૂરી; જાણો કેવી રીતે થશે હાઈવે પ્રોજેક્ટ્સમાં રોકાણ

હવે તમે દેશના નેશનલ હાઈવેમાં પૈસા રોકીને નફો કમાવી શકશો. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI)ની નવી પહેલ ‘રાજમાર્ગ ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ’ (RIIT)ને બજાર નિયામક સેબી (SEBI) તરફથી મંજૂરી મળી ગઈ છે.

આ સ્કીમ સામાન્ય લોકોને નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવાની તક આપશે, જ્યાં રિટેલ અને ઘરેલું રોકાણકારો સીધો ભાગ લઈ શકશે. જેમ તમે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકો છો, તેવી જ રીતે હવે તમે રસ્તાઓમાં પૈસા રોકી શકશો અને વાહનો પાસેથી વસૂલવામાં આવતા ટોલ ટેક્સની કમાણીમાં તમને હિસ્સો મળશે.

અત્યાર સુધી હાઈવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ફક્ત મોટી કંપનીઓ અથવા વિદેશી રોકાણકારો જ પૈસા રોકી શકતા હતા, પરંતુ આ ‘પબ્લિક ઇન્વિટ’નો મુખ્ય ઉદ્દેશ્ય રિટેલ ઇન્વેસ્ટર (સામાન્ય રોકાણકાર)ને જોડવાનો છે.

નિયમિત આવક: ઇનવિટમાંથી થતી કમાણીનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે રોકાણકારોને વહેંચવામાં આવે છે. આ એવા લોકો માટે ઉત્તમ છે જેઓ બેંક FD કરતાં થોડું વધારે વળતર ઇચ્છે છે.
સરકારી ભરોસો: આ NHAIનો પ્રોજેક્ટ છે, તેથી તેમાં સરકારી સુરક્ષા વધુ છે.
લાંબા ગાળાનું રોકાણ: આ એક લાંબા ગાળાનું રોકાણ સાધન છે, જે તમને લાંબા સમય સુધી વળતર આપી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *