EDએ યસ બેંકના કો-ફાઉન્ડર રાણા કપૂરની પૂછપરછ કરી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સોમવારે યસ બેંકના સહ-સ્થાપક રાણા કપૂરની અનિલ અંબાણી જૂથની કંપનીઓ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરી હતી. કપૂરનું નિવેદન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ નોંધવામાં આવ્યું છે.

PTI અનુસાર, અનિલ અંબાણીની કંપનીઓમાં ₹11,000 કરોડથી વધુનું જાહેર ભંડોળ મોકલવામાં આવ્યું છે, જેનો દુરુપયોગ થયો છે. EDનો દાવો છે કે આ મામલે લોકોના પૈસાને યસ બેંક દ્વારા અનિલ અંબાણીની કંપનીઓમાં મોકલવામાં આવ્યા છે.

રાણા કપૂરની પૂછપરછ આ જ કેસનો એક ભાગ છે. જ્યારે આ પહેલાં ED અનિલ અંબાણીની ઘણી પ્રોપર્ટીઝને જપ્ત કરી ચૂકી છે.

EDએ 24 જુલાઈએ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ સાથે સંકળાયેલા સ્થળો પર દરોડા પાડ્યા હતા. ત્યારબાદ 23 ઓગસ્ટે CBIએ પણ અનિલ અંબાણીના ઘરે દરોડા પાડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *