રાજસ્થાનના જેસલમેરમાં મંગળવારે બપોરે 3:30 વાગ્યે એક ચાલતી AC સ્લીપર બસમાં આગ લાગી હતી.
20 મુસાફરો બળીને ખાખ થઈ ગયા હતા. જેમાંથી 19 મુસાફરો જેસલમેર અને 79 વર્ષીય હુસૈન ખાનનું જોધપુરમાં મૃત્યુ થયું હતું.
પોકરણના ધારાસભ્ય પ્રતાપ પુરીએ અકસ્માતમાં 20 લોકોના મોતની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ અકસ્માત શોર્ટ સર્કિટને કારણે થયો હતો.
અકસ્માતમાં બે બાળકો અને ચાર મહિલાઓ સહિત પંદર લોકો દાઝી ગયા હતા. ઘાયલ મુસાફરોને જેસલમેરની જવાહર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને જોધપુર રિફર કરવામાં આવ્યા હતા.
મોટાભાગના મુસાફરો 70 ટકા સુધી બળી ગયા હતા. બસમાં 57 લોકો સવાર હતા. મૃતકોની ઓળખ DNA ટેસ્ટથી કરવામાં આવશે. કલેક્ટર પ્રતાપ સિંહે મૃતકોના પરિવારજનોને તેમનો સંપર્ક કરવા અપીલ કરી છે.