આગામી તા.2ને ગાંધી જયંતીના દિવસે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ કતલખાના બંધ રાખવા તેમજ માંસ, મટન, ચિકન અને મચ્છીનું વેચાણ બંધ રાખવા મ્યુનિસિપલ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.
સંબંધકર્તા સર્વેને આ જાહેરનામાની ચુસ્ત અમલવારી કરવા તાકીદ કરાઇ છે અને જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે ધી જીપીએમસી એક્ટ-1949ની કલમ 329 અને 336 અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું.