ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બીઆર ગવઈએ બુધવારે દિલ્હી-એનસીઆરની શેરીઓમાં રખડતા કૂતરાઓ પરના પ્રતિબંધ પર પુનર્વિચાર કરવાની ખાતરી આપી હતી. સીજેઆઈએ એક વરિષ્ઠ વકીલ દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી.
અરજદારે કોન્ફરન્સ ફોર હ્યુમન રાઇટ્સ (ઇન્ડિયા) દ્વારા દાખલ કરાયેલી અરજીનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે એનિમલ બર્થ કંટ્રોલ (ડોગ) નિયમ, 2001નું પાલન કરવામાં આવી રહ્યું નથી. આ 2001ના નિયમમાં રખડતા કૂતરાઓની વધતી જતી સંખ્યા ઘટાડવા માટે નિયમિત નસબંધી અને રસીકરણ કાર્યક્રમો ફરજિયાત છે.
11 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે કૂતરા કરડવા અને હડકવાના કેસોને ધ્યાનમાં રાખીને દિલ્હી-એનસીઆરના રહેણાંક વિસ્તારોમાંથી તમામ રખડતા કૂતરાઓને 8 અઠવાડિયાની અંદર દૂર કરવામાં આવે અને આશ્રય ગૃહોમાં મોકલવામાં આવે. કોર્ટે આ કામમાં અવરોધ ઉભો કરનારા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.
કોર્ટે કહ્યું હતું કે- જો કોઈ વ્યક્તિ કે સંગઠન અવરોધ ઊભો કરે છે, તો અવમાનની કાર્યવાહી શરૂ કરી શકાય છે. કોર્ટે પ્રાણી પ્રેમીઓને આડે હાથ લેતા પૂછ્યું કે શું તેઓ હડકવાથી પીડિત બાળકોને પાછા લાવી શકશે? બાળકોને કોઈપણ કિંમતે હડકવા ન થવો જોઈએ.