ગૌતમ અદાણીએ અદાણી પોર્ટ્સનું એક્ઝિક્યુટિવ ચેરમેન પદ છોડ્યું

અદાણી ગ્રુપની સૌથી મોટી કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ)એ મંગળવારે તેના ત્રિમાસિક પરિણામો રજૂ કર્યા. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં, અદાણી પોર્ટ્સનો નફો 6.5% વધીને ₹3,311 કરોડ થયો છે, જ્યારે આવકમાં 31%નો વધારો જોવા મળ્યો છે, કાર્ગો વોલ્યુમમાં પણ 11%નો વધારો થયો છે.

પરિણામની સાથે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની અદાણી પોર્ટ્સના મેનેજમેન્ટમાં મોટો ઉલટફેર થયો છે. ગૌતમ અદાણીએ પોતે એક્ઝિક્યુટિવ ચેરમેનની જવાબદારીમાંથી રાજીનામું આપી દીધું છે. હવે તેઓ કંપની સાથે ફક્ત નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે જ જોડાયેલા રહેશે, એટલે કે, કંપનીની રણનીતિ કે કામગીરીમાં તેમનો કોઈ હસ્તક્ષેપ રહેશે નહીં.

નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે, ગૌતમ અદાણી કંપનીની લાંબા ગાળાની વ્યૂહરચના અને માર્ગદર્શન માટે જવાબદાર રહેશે, જ્યારે કામગીરી સંબંધિત રોજિંદા નિર્ણયો હવે અન્ય મેનેજમેન્ટ અધિકારીઓ દ્વારા લેવામાં આવશે. આ ફેરફારને અદાણી ગ્રુપના ભાવિ નેતૃત્વ અને કામગીરીને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

ગૌતમ અદાણી હવે આ કંપનીમાં સલાહકારની ભૂમિકામાં આવ્યા છે. કંપનીએ 5 ઓગસ્ટ 2025ના રોજ બોર્ડ મીટિંગ પછી આ ફેરફારની પુષ્ટિ કરી છે. કંપનીનું મજબૂત વ્યવસાયિક પ્રદર્શન સૂચવે છે કે તેઓ ભારતીય અને વૈશ્વિક બજારોમાં તેમની પકડ વધુ મજબૂત કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *