રાજકોટનો યુવાન ભૂખ્યાને ભોજન, નિરાધારને આશરો અને ગરીબ બાળકોને રમકડાં, સ્કૂલ બેગ, વોટર બોટલ આપે છે

રાજકોટમાં રહેતા યુવાન વિશાલભાઈ ભટ્ટ 365 દિવસ ભૂખ્યાને ભોજન, નિરાધારને આશરો અને ગરીબ બાળકોને રમકડાં, સ્કૂલ બેગ, પાણીની બોટલ સહિતની ચીજવસ્તુ આપે છે. આ યુવાન રોજ 400 લોકોની જઠરાગ્નિ ઠારે છે. એટલું જ નહિ જગ્યા ભાડે રાખીને નિરાધારને આશરો આપે છે. આ સિવાય રાજકોટની આંગણવાડીમાં 200થી વધુ બાળકોને સુવિધા મળી રહે તે માટે રમકડાં સેટ, ફર્નિચર, ડિજિટલ સ્લેટ પહોંચ્યા છે અને આગામી દિવસોમાં હજુ અન્ય ગ્રામ્ય વિસ્તારની આંગણવાડીમાં જરૂરી સાધન- સામગ્રી પૂરી પાડશે.

વિશાલભાઈ જણાવે છે કે, આંગણવાડીમાં ગરીબ અને મધ્યમવર્ગના બાળકો અભ્યાસ માટે આવે છે અને તેને કોઈ વસ્તુની અછત ન થવી જોઈએ. આંગણવાડીમાં બાળકો રમકડાં સહિતની ચીજવસ્તુ જોઇને જો તે ત્યાં જાય તો તેઓને જ્ઞાન સાથે ગમ્મત મળી રહે અને તેઓની નાનપણથી જ અભ્યાસ માટેની રુચિ વધે. જોકે જે વસ્તુ આપવામાં આવે છે તે પણ નવી જ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *