મોટા બજેટ કરતાં સારા કન્ટેન્ટ પર ધ્યાન કેન્દ્રીત કરો

અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધન કપૂરે તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. આમાં સલમાન ખાન, શાહરુખ ખાન, અજય દેવગન અને અક્ષય કુમાર સહિત ઉદ્યોગના મોટા કલાકારોની ચર્ચા કરવામાં આવી હતી. વાયરલ પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી હવે ખતમ થઈ રહી છે.

હર્ષવર્ધન કપૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં થઈ રહેલા ફેરફારો પર એક લાંબી પોસ્ટ લખી. તેણે લખ્યું કે- હવે નિર્માતાઓએ મોટા બજેટની ફિલ્મો બનાવવાને બદલે સારી સામગ્રી બનાવવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. એક્ટર્સે કંઈક નવું અને અલગ કરવાની વાત કરી. તેણે વધુમાં કહ્યું કે બોલિવૂડ ફક્ત મોટા કલાકારો હોવાના કારણે નથી. પ્રોડ્યુસર્સે થોડું જોખમ લેવું જોઈએ.

ખરેખર, નિશાંત નામના યુઝરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘બોલિવૂડ હવે ખતમ થઈ ગયું છે.’ સલમાન ખાન હવે એક્ટિંગ કરવા માગતો નથી, આમિર પાસે કોઈ ફિલ્મ નથી, અક્ષય ફિલ્મો કરી રહ્યો છે પણ કોઈ ફાયદો નથી, શાહરુખ બે વર્ષમાં એક ફિલ્મ કરે છે. અજય કંઈક મોટું કરી શકે છે પણ તે સુરક્ષિત રમી રહ્યો છે. એવું લાગે છે કે રણબીર કપૂર એકમાત્ર એવો એક્ટર છે જે સંઘર્ષ કરી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *