અમિતાભ બચ્ચને પોતાની અધૂરી પોસ્ટ પર ખુલાસો કર્યો

અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ વિશે વાત કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે હવે વિદાય લેવાનો સમય આવી ગયો છે. આ પોસ્ટ પછી, તેમના ચાહકો ચિંતિત થઈ ગયા હતા અને અનુમાન લગાવવા લાગ્યા કે શું બિગ બી નિવૃત્તિ લેવા જઈ રહ્યા છે.

આવી સ્થિતિમાં, હવે અમિતાભ બચ્ચને ‘કૌન બનેગા કરોડપતિ 16’ ના તાજેતરના એપિસોડમાં જણાવ્યું કે તે ટ્વીટનો ખરેખર શું અર્થ હતો. તેમણે કહ્યું, ‘અરે, આ ટ્વીટમાં હું કહેવા માગતો હતો કે હવે કામ પર જવાનો સમય છે.’ ખરેખર, તે રાત્રે શૂટિંગ પૂરું કર્યા પછી, અમે લગભગ 1-2 વાગ્યે ઘરે પહોંચ્યા, ફરીથી શૂટિંગ હતું અને હું આખું લખતાં લખતાં સૂઈ ગયો. હું લખવા માગતો હતો કે હવે કામ પર જવાનો સમય થઈ ગયો છે.’

‘આ પછી અમિતાભ બચ્ચને બીજું ટ્વીટ કર્યું, જેમાં તેમણે લખ્યું, મારે જવું જોઈએ કે રહેવું જોઈએ? જોકે હવે દર્શકોને તેનો અર્થ સમજાઈ ગયો છે. તેઓ કહે છે કે આ ટ્વીટ દ્વારા તે પૂછી રહ્યા છે કે તેમણે KBC ના શૂટિંગ માટે જવું જોઈએ કે નહીં.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *