દેશનિકાલ ભારતીયોની ચોથી બેચ ઈન્ડિયા પહોંચી

અમેરિકાથી ભારતીય ઇમિગ્રન્ટ્સની ચોથી બેચ રવિવારે ભારત પહોંચી છે. તેમને અમેરિકાથી પનામા દેશનિકાલ કરવામાં આવ્યા. ત્યાંથી તેમને નાગરિક વિમાનમાં ભારત મોકલવામાં આવ્યા. હાલમાં તેમનો ફોટો જાહેર કરવામાં આવ્યો નથી.

આ 12 લોકોમાંથી 4 પંજાબના છે. 3 ઉત્તર પ્રદેશના અને 3 હરિયાણાના હોવાનું કહેવાય છે. પંજાબના ચારેય લોકોને અમૃતસર મોકલવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં, ચાર બેચમાં 344 લોકો અમેરિકાથી પરત ફર્યા છે. 5 ફેબ્રુઆરી, 15 ફેબ્રુઆરી અને 16 ફેબ્રુઆરીના રોજ, અમેરિકાએ 332 લોકોને હાથકડી અને બેડીઓ બાંધીને લશ્કરી વિમાન દ્વારા મોકલ્યા.

ગયા અઠવાડિયે, અમેરિકાએ અનેક દેશોમાંથી 299 ઇમિગ્રન્ટ્સને પનામા દેશનિકાલ કર્યા. અહીં આ લોકોને એક હોટલમાં કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. ભારત ઉપરાંત, આ ઇમિગ્રન્ટ્સમાં નેપાળ, શ્રીલંકા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, વિયેતનામ અને ઈરાનના લોકોનો સમાવેશ થતો હતો.

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તેમના દેશમાં મોકલવા માટે અમેરિકા પનામાનો ઉપયોગ સ્ટોપઓવર તરીકે કરી રહ્યું છે. આ માટે પનામા ઉપરાંત ગ્વાટેમાલા અને કોસ્ટા રિકા સાથે પણ કરાર કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *