સસ્તા અનાજના દુકાનદારોને ખાંડનો જથ્થો 25 ટકા જ મળ્યો

રાજકોટ સહિત રાજ્યભરમાં ચાલુ માસના 19 દિવસ વીતી ગયા છે ત્યારે સસ્તા અનાજની દુકાનો પર ખાંડનો માત્ર 25 ટકા જથ્થો પહોંચતા ભારે દેકારો બોલી ગયો છે. રેશનિંગની દુકાનોમાં ખાંડનો જથ્થો નહીં પહોંચતા ગુજરાત ફેર પ્રાઇઝ એસોસિએશન દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે અને જવાબદારો સામે પગલાં લેવાની માગણી કરવામાં આવી છે.

રાજ્યના અત્યંત ગરીબ લાભાર્થીઓને ચાલુ મહિને ખાંડ ન મળવા બાબતે પૂછતાં ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસો.નાં પ્રમુખ દ્વારા જણાવવામાં આવેલ કે રાજ્યના 33 જિલ્લા અને અમદાવાદ શહેરનાં અત્યંત ગરીબ લાભાર્થીઓને માત્ર 25 ટકા ખાંડનો જથ્થો જ દુકાન સુધી પહોંચાડવામાં આવ્યો છે અને 75 ટકા એટલે કે લગભગ 4500 મેટ્રિક ટન ખાંડ હજુ નિગમના ગોડાઉન કે વાજબી ભાવની દુકાન સુધી પહોંચી નથી અને હવે ટેન્ડર સમયસર થયેલ ના હોય આવવાની શક્યતા પણ નહિવત છે. કોઈ ગોડાઉન ઉપર હાલ એક કિલો ખાંડ નથી અને હવે આવવાની શક્યતા નહિવત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *