ગુજસીટોકના ગુનામાં ભીસ્તીવાડ ગેંગના સાગરીતની કાયમી જામીન અરજી મંજૂર

ગત તા.3.12.2020 ના રોજ ભીસ્તીવાડ વિસ્તારમાં રહેતા 11 ઈમસો વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરાયો હતો જેમાં પોલીસે આરોપીઓને ઝડપી જેલ હવાલે કર્યા હતા. ચાર્જશીટ રજુ કરી કુલ 108 સાહેદોનું લીસ્ટ દર્શવવામાં આવેલ હતું જેમાં આરોપી સરતાજ ઉર્ફે રાજન વિરૂધ્ધ 2011થી લઈને 2020 સુધીમાં 9 ગુના દર્શાવવામાં આવેલ હતા. આ આરોપીએ હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન પર મુક્ત થવા માટે જામીન અરજી કરેલ હતી. આરોપીના એડવોકેટ ગૌરાંગ ગોકાણીએ દલીલ કરેલી કે, જે 9 ગુનાઓ દર્શાવવામાં આવ્યા છે તે તમામમાં આરોપી જામીન મુક્ત છે. અગાઉ આરોપીને ટેમ્પરરી જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. તેમાં આરોપી 365 દિવસ નાસતો ફરતો રહેલ તે સમય દરમ્યાન કોઈપણ ગુનો હાલના આરોપી દ્વારા આચરવામાં આવેલ નથી તેવી દલીલો કરેલ હતી. દલીલો સાંભળી હાઇકોર્ટે આરોપીને રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *