બેડીયાર્ડથી રાજસ્થાનના જયપુર પહોંચાડવા 43 લાખનો તલનો જથ્થો લઇને નીકળેલો ટ્રકચાલક ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. રેલનગરની ઉત્કર્ષ રેસિડેન્સીમાં રહેતા અ્ને બેડીયાર્ડમાં આવેલી જલિયાણ એગ્રી નામની પેઢીમાં નોકરી કરતાં જયદીપ ધીરજલાલ કોટેચા (ઉ.વ.31)એ કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજસ્થાનના ખેરાજેશા ગામના ટ્રકચાલક રોહિતસીંગ હરજીતસીંગનું નામ આપ્યું હતું.