આટકોટ અંબાજી મંદિર ઋષિ પંચમી નિમિત્તે ભાદર નદીના ચેકડેમમાં માનવ મેદની ઉમટી પડી હતી અને પૂણ્ય સ્નાનનો લાભ લીધો હતો. ઋષિ પંચમી નિમિત્તે આજે જસદણ તાલુકા પાંચવડા આટકોટ જસદણ જંગવડ સહિતના ભક્તજનોએ ભાદર નદી કાંઠે સાત ઋષિનું પુજન કર્યુ હતું. આ તકે મોટી સંખ્યામાં મહિલાઓએ નદીસ્નાનનો લાભ લીધો હતો.