વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની યુક્રેનની મુલાકાતના 4 દિવસ બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી છે. મોદીએ મંગળવારે સોશિયલ મીડિયા X પર આ માહિતી આપી હતી. તેમણે લખ્યું, ભારત અને રશિયા વચ્ચે વિશેષ અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા વિશે પુતિન સાથે વાત કરી. રશિયા-યુક્રેન યુદ્ધ અંગે તેમની સાથે મંતવ્યો શેર કર્યા.
પીએમ મોદીએ કહ્યું કે તેમણે પુતિનને તેમની તાજેતરની યુક્રેનની મુલાકાત વિશે પણ માહિતી આપી હતી. તેમણે યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.