નોમુરાનું અનુમાન, ભારતની નિકાસ વાર્ષિક 10 ટકા વધશે

નવી દિલ્હી ચીનને વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં મોટો હિસ્સો ધરાવતી વૈશ્વિક કંપનીઓ હવે ભારત તરફ વળી રહી છે. તેની પાછળ બે સૌથી મોટા કારણો છે – પ્રથમ, ચીનની અર્થવ્યવસ્થા સુસ્ત છે. બીજું- યુરોપ અને અમેરિકા સાથે તેનો તણાવ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં વિકસિત દેશો ચીન પર તેમની નિર્ભરતા ઘટાડવા માંગે છે. તેથી વૈશ્વિક કંપનીઓ ચીનમાંથી તેમના ઉત્પાદન એકમોને ખસેડી રહી છે અને અન્ય દેશોમાં નવી ફેક્ટરીઓ સ્થાપી રહી છે. આપણા માટે સારા સમાચાર એ છે કે આ કંપનીઓની પ્રથમ પસંદગી ભારત છે. જાપાની ફાઇનાન્શિયલ કંપની નોમુરાના જણાવ્યા અનુસાર ચીનમાં મેન્યુફેક્ચરિંગ બેઝ ધરાવતી 130 વૈશ્વિક કંપનીઓમાંથી મહત્તમ 28 ભારતમાં ઉત્પાદન સુવિધાઓ શરૂ કરવા માંગે છે. એટલે કે દર ચોથી કંપની અહીં આવવા માંગે છે.

આ મામલે વિયેતનામ બીજા સ્થાને અને મેક્સિકો ત્રીજા સ્થાને છે. રસપ્રદ વાત એ છે કે, જ્યારે 2019માં ચીનમાંથી વૈશ્વિક કંપનીઓનું સ્થળાંતર શરૂ થયું ત્યારે ચીન છોડવાની તૈયારી કરતી કંપનીઓની પ્રથમ પસંદગી વિયેતનામ હતી.

ટોચના પાંચ અર્થતંત્રમાં આપણી ઝડપ સૌથી વધારે છે
નોમુરાનો અંદાજ છે કે વૈશ્વિક કંપનીઓ ભારતમાં આવવાથી, અહીંની નિકાસ 2030 સુધીમાં વધીને $835 (આશરે રૂ. 70 લાખ કરોડ) થઈ શકે છે. આ વાર્ષિક ધોરણે 10% વૃદ્ધિ દર્શાવે છે. 2023માં ભારતે 431 અબજ ડોલર (આશરે રૂ. 36 લાખ કરોડ)ની નિકાસ કરી હતી. વિશ્વની 5 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓની તુલનામાં ભારતનો જીડીપીદર સૌથી વધુ છે.

અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ કંપની જેફરીઝે તેના રિપોર્ટમાં લખ્યું છે કે, ‘ચીનથી ભારતમાં શિફ્ટ થનારી મોટાભાગની કંપનીઓ અમેરિકન છે. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં. આ સિવાય જાપાન અને કોરિયાની ઓટોમોબાઈલ કંપનીઓ પણ મેન્યુફેક્ચરિંગનો કેટલોક હિસ્સો ભારતમાં શિફ્ટ કરવાનું વિચારી રહી છે. ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને આનાથી ઘણો ફાયદો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *