યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયોનાં મોત

યુક્રેનના ઓડેસા પોર્ટથી રવાના થયેલા કાર્ગો જહાજ ‘MV ગોલ્ડન લિયો’ પર રવિવારે થયેલા હુમલામાં ચાર ભારતીય નાગરિકોના મોત થયા છે. એક ભારતીય ગંભીર રીતે ઘાયલ છે અને હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

ભારત સરકારે સોમવારે તેની પુષ્ટિ કરતા હુમલાની સખત નિંદા કરી અને કહ્યું કે વેપારી જહાજો અને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવું સંપૂર્ણપણે નિંદનીય છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતીય દૂતાવાસ સતત યુક્રેનિયન અધિકારીઓના સંપર્કમાં છે અને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

બીજી તરફ, યુક્રેનિયન અધિકારીઓ અનુસાર, ગોલ્ડન લિયો જહાજ ઓડેસાથી મકાઈ લઈને રવાના થયું હતું. પોર્ટમાંથી નીકળ્યાના થોડા સમય પછી તેના પર ત્રણ રશિયન ક્રુઝ મિસાઈલોથી હુમલો કરવામાં આવ્યો. યુક્રેનની નૌકાદળે કહ્યું કે હુમલા પછી જહાજમાં આગ લાગી ગઈ. રોયટર્સ અનુસાર, સમુદ્રમાં જહાજમાંથી ગાઢ ધુમાડો નીકળતો જોવા મળ્યો, જેની બાદમાં ઓળખ થઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *