ધોરાજી તાલુકાની શ્રી કલાણા સેવા સહકારી મંડળી લિ.ના ખેડૂત સભાસદ જાદવભાઈ દામજીભાઈ ચાવડાનું અકસ્માતમાં અવસાન થયું હતું. રાજકોટ જિલ્લા બેંક દ્વારા લેવાયેલી અકસ્માત વીમા પોલિસી હેઠળ તેમના પરિવારને 15 લાખ રૂપિયાની વીમા રકમ મંજૂર કરવામાં આવી હતી.
આ વીમા સહાયનો 15 લાખ રૂપિયાનો ચેક તેમના વારસદાર સંજયભાઈ જાદવભાઈ ચાવડાને આપવામાં આવ્યો. આ ચેક ધોરાજી તાલુકા સંઘની કચેરી ખાતે સુપરત કરાયો હતો.
આ પ્રસંગે પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવામાં આવી હતી. સહકારી સંસ્થાઓ દ્વારા ખેડૂત સભાસદો અને તેમના પરિવારોના હિતમાં કરાતી આવી કામગીરીથી સહકારી ક્ષેત્રની સંવેદના વધુ સ્પષ્ટ થઈ છે.