કાવ્યા મારનના અનિરુદ્ધ સાથે લગ્ન નક્કી!

મ્યુઝિક કમ્પોઝર અનિરુદ્ધ રવિચંદર અને સનરાઇઝર્સ હૈદરાબાદની CEO કાવ્યા મારનના લગ્નના સમાચાર ફરી એકવાર ચર્ચામાં છે. અનિરુદ્ધના કાકા અને તમિલ એક્ટર વાય.જી. મહેન્દ્રને બંનેના લગ્નનો દાવો કર્યો છે.

મહેન્દ્રને તમિલ ચેનલ KPTVને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તેને જે કહેવામાં આવ્યું છે, તે મુજબ આ લગ્ન પાક્કા છે. કાવ્યા અને અનિરુદ્ધની જોડી ખૂબ સારી છે. જોકે, અનિરુદ્ધ અને કાવ્યા મારન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

એક્ટર વાય.જી. મહેન્દ્રને એક તમિલ ચેનલ KPTVને આપેલા ઇન્ટરવ્યુમાં આ સંબંધ વિશે વાત કરી હતી. તેણે અનિરુદ્ધના વખાણ કરતા કહ્યું કે તે ખૂબ જ શાંત સ્વભાવનો છોકરો છે. હું તેને અભિનંદન આપવા માંગુ છું. તે ખૂબ મોટા લગ્ન કરવા જઈ રહ્યો છે. મને જે માહિતી મળી છે, તેના પરથી આ એકદમ પાક્કી વાત છે કે બંને લગ્ન કરી રહ્યા છે. જોકે, તેણે લગ્નની તારીખ કે સ્થળ વિશે કોઈ માહિતી શેર કરી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *