સરકારે કહ્યું- 4 પાક પર MSP આપીશું

પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પર છેલ્લા 7 દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે રવિવારે ચોથા રાઉન્ડની બેઠક મળી હતી. બેઠકમાં સરકારે 4 પાક પર MSP આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ખેડૂત સંગઠનોએ કહ્યું છે કે બે દિવસ સુધી આ અંગે વિચાર કર્યા બાદ તેઓ 20 ફેબ્રુઆરીની સાંજે પોતાનો નિર્ણય જણાવશે.

સરકાર તરફથી ખેડૂતો સાથે વાત કરવા આવેલા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે સરકાર મકાઈ, કપાસ,તુવેર અને અડદ પર MSP આપવા તૈયાર છે. આગામી 5 વર્ષ માટે ચારેય પાકની ખરીદી સહકારી મંડળીઓ દ્વારા કરવામાં આવશે. નાફેડ અને NCCF સાથેનો 5 વર્ષ માટે કરાર રહેશે.

ખેડૂતો MSP પર તમામ પાક ખરીદવા માટે કાયદો બનાવવાની માંગ કરી રહ્યા છે. તેમની માંગ છે કે સ્વામીનાથન કમિશનના રિપોર્ટના આધારે પાકના ભાવ નક્કી કરવામાં આવે. આ સિવાય ખેડૂતોએ મરચાં, હળદર અને અન્ય મસાલા માટે રાષ્ટ્રીય આયોગની રચના કરવાની પણ માંગ કરી છે.

ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે કહ્યું કે તેઓ 19 અને 20 ફેબ્રુઆરીએ તમામ જૂથો સાથે ચર્ચા કરશે. આ પછી, અમે 20મીએ સાંજે અમારો નિર્ણય જાહેર કરીશું. 21મીએ સવારે 11 વાગ્યા સુધી દિલ્હી કૂચને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *