700 કરોડનો ખર્ચ, 27 એકર વિસ્તારમાં ફેલાયું

આરબ દેશ સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અબુધાબીમાં રામ મંદિર જેવું ભવ્ય મંદિર બનાવવાનું કામ હવે પૂર્ણતાના આરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14મી ફેબ્રુઆરીએ વસંતપંચમીના રોજ પ્રાણપ્રતિષ્ઠાનાં અવસર પર આ મંદિર (BAPS)નું ઉદ્ઘાટન કરશે. અબુ ધાબીના સાંસ્કૃતિક જિલ્લામાં 27 એકર વિસ્તારમાં હિંદુ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

તેમાંથી અડધા ભાગમાં પાર્કિંગ છે. તેનો શિલાન્યાસ 6 વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો. મંદિરનો મુખ્ય ગુંબજ પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ અને વાયુની સાથે અરબી સ્થાપત્યમાં ચંદ્રને દર્શાવવામાં આવ્યા છે, જેનું મુસ્લિમ સમુદાયમાં પણ ઘણું મહત્ત્વ છે. આ મંદિર તમામ ધર્મોનું સ્વાગત કરશે અને ભારતીય અને આરબ સંસ્કૃતિના સંમિશ્રણનું ઉદાહરણ બનશે.

અબુ ધાબીમાં મંદિરનું નિર્માણ અંતિમ તબક્કામાં છે. 700 કરોડના ખર્ચે બનેલા આ મંદિરમાં લોખંડ કે સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. સ્વયંસેવક યોગેશ ઠક્કરે જણાવ્યું કે, થાંભલાથી છત સુધી કોતરણી કરવામાં આવી છે. ભારતમાંથી 700 કન્ટેનરમાં 20 ટનથી વધુ પથ્થર અને માર્બલ મોકલવામાં આવ્યા હતા. મંદિરમાં 10 હજાર લોકો આવી શકશે.

મંદિરના પ્રાંગણમાં વોલ ઓફ હાર્મની પણ બનાવવામાં આવી છે. મંદિરની દિવાલો પર અરેબિક પ્રદેશ, ચાઇનીઝ, એઝટેક અને મેસોપોટેમીયાની 14 વાર્તાઓ હશે, જે વિવિધ સંસ્કૃતિઓમાં જોડાણ દર્શાવે છે. આ મંદિર યુએઈની સંવાદિતા અને સહઅસ્તિત્વની નીતિનું ઉદાહરણ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *