ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી વનડે અને T-20 સિરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ત્રણ વનડે માટે શુભમન ગિલને કેપ્ટન અને કેએલ રાહુલને વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીને ટીમમાં જાળવી રાખવામાં આવ્યા છે. ટીમમાં રવીન્દ્ર જાડેજાની વાપસી થઈ છે. જ્યારે નમન ધીરને પહેલીવાર તક મળી છે.
T-20 ટીમમાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને ટીમમાં સ્થાન મળ્યું છે. કેપ્ટન શ્રેયસ અય્યર હશે.
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની શરૂઆત ત્રણ મેચની વનડે સિરીઝથી થશે. પ્રથમ મેચ 27 સપ્ટેમ્બરે તિરુવનંતપુરમમાં, બીજી 30 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં અને ત્રીજી 3 ઓક્ટોબરે મુલ્લાંપુર, ન્યૂ ચંદીગઢમાં રમાશે. આ પછી 6 ઓક્ટોબરથી પાંચ મેચની T-20 સિરીઝ શરૂ થશે.
સિલેક્ટર્સ સામે સૌથી મોટો સવાલ રોહિત શર્માને લઈને હતો. 39 વર્ષીય રોહિતને વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
રોહિતે 2026માં ઈંગ્લેન્ડ સામેની સિરીઝની ત્રીજી વનડેમાં લોર્ડ્સ પર સદી ફટકારી હતી. આ જ સિરીઝમાં વિરાટ કોહલીએ પણ લય મેળવી. શરૂઆતની મેચમાં 5 રન બનાવ્યા બાદ કોહલીએ આગામી બે મેચમાં 65 અને 74 રનની ઇનિંગ્સ રમી. ત્રણ મેચની સિરીઝમાં તેના નામે 144 રન રહ્યા.