સ્વતંત્ર ભારદ્વાજનાં વકીલે કહ્યું- ધરપકડ કરવાની હિંમત કેવી રીતે કરી

દિલ્હી હાઈકોર્ટમાં સોમવારે સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ અંગે સુનાવણી થઈ. ભારદ્વાજના વકીલે કહ્યું કે જ્યારે સુપ્રીમ કોર્ટે જંતર-મંતર કેસ સંબંધિત તમામ FIR રદ કરી દીધી હતી, તો દિલ્હી પોલીસે ઉત્તર પ્રદેશના બુલંદશહર જઈને તેની ધરપકડ કરવાની હિંમત કેવી રીતે કરી. પોલીસે આ દાવાને પડકારતા કહ્યું કે વર્તમાન કેસની FIR રદ થઈ નથી.

કોર્ટે દિલ્હી પોલીસ પાસેથી સ્પષ્ટ જવાબ માંગ્યો કે સંબંધિત FIR હજુ છે કે નહીં. કોર્ટે પોલીસને તાત્કાલિક નિવેદન આપવા અથવા સોગંદનામું દાખલ કરવાનો વિકલ્પ આપ્યો. આ દરમિયાન, કોર્ટે ભારદ્વાજની ન્યાયિક કસ્ટડી 14 દિવસ લંબાવીને 21 સપ્ટેમ્બર સુધી કરી દીધી.

ભારદ્વાજને 23 જૂને સંજય આઝાદ પર હુમલાના કેસમાં તિહાર જેલમાંથી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સ્પેશિયલ જજ સૌરભ પ્રતાપ સિંહ લાલેડ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

ભારદ્વાજને 4 સપ્ટેમ્બરે બુલંદશહેરમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને દિલ્હી લાવવામાં આવ્યા. 5 સપ્ટેમ્બરે કોર્ટે પોલીસને એક દિવસની કસ્ટોડિયલ પૂછપરછની મંજૂરી આપી. ત્યારબાદ રવિવારે તેમને એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

આ ધરપકડ એક વીડિયો પોડકાસ્ટ પછી થયેલા વિવાદ વચ્ચે થઈ. જેમાં ભારદ્વાજે કથિત રીતે દાવો કર્યો હતો કે જંતર-મંતર પ્રદર્શન દરમિયાન તેમણે સંજય આઝાદનું માથું ફોડી નાખ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે હુમલાને કારણે IPCની કલમ 307 લગાવવામાં આવી હતી. બાદમાં ભારદ્વાજે દાવો કર્યો કે તેમણે આત્મરક્ષામાં આવું કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *