નેપાળમાં પૂર પછી અનેક અજાણ્યા મૃતદેહોને બાળવાને બદલે દફનાવવામાં આવી રહ્યા છે. પ્રશાસન આવું એટલા માટે કરી રહ્યું છે જેથી મૃતદેહોના અવશેષો સુરક્ષિત રહી શકે અને ભવિષ્યમાં DNA તપાસ દ્વારા તેમની ઓળખ કરીને તેમને પરિવારજનોને સોંપી શકાય.
પાણી અને કાદવમાં લાંબા સમય સુધી દબાયેલા રહેવાથી મૃતદેહોની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ઘણા મૃતદેહો પાણીમાં ફૂલી ગયા છે અને સડી રહ્યા છે. તેનાથી તેની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે.
બીજી તરફ, શબઘર અને અસ્થાયી કેન્દ્રો પણ મૃતદેહોથી ભરાઈ ગયા છે. આવા સંજોગોમાં પ્રશાસન માટે મૃતદેહોને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા શક્ય નથી. આ જ કારણ છે કે અજાણ્યા મૃતદેહોને સામૂહિક કબરોમાં દફનાવવામાં આવી રહ્યા છે.
26 ઓગસ્ટે આવેલા પૂર પછી મૃત્યુઆંક વધીને 1,066 થઈ ગયો છે. તેમાં નેપાળમાં 1,050 અને તિબેટમાં 16 લોકોના મોત થયા છે. જ્યારે, 4400થી વધુ લોકો હજુ પણ ગુમ છે.