2025માં પીએમ ફંડમાં ઘરેલું દાન 30% ઘટીને આશરે 479 કરોડ રૂપિયા રહ્યું. વિદેશી દાનમાં પણ ઘટાડો થયો. તે 18% ઘટીને 92.8 લાખ રૂપિયા થઈ ગયું છે.
2023માં ઘરેલું દાન 681 કરોડ અને વિદેશી દાન 1.13 કરોડ રૂપિયા હતું. ઓડિટ રિપોર્ટ મુજબ, 2024માં ફંડમાં કુલ રકમ 7,173 કરોડ રૂપિયા હતી. 2025માં તે 8,452 કરોડ રૂપિયા થઈ ગઈ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2020માં કોવિડ મહામારી ફેલાયા પછી પીએમ ફંડ બનાવ્યું હતું. વડાપ્રધાન જ આ ફંડના અધ્યક્ષ હોય છે. આ ફંડમાં પૂરી રકમ દાન સ્વરૂપે આવે છે અને તેને સરકારના બજેટમાંથી કોઈ પૈસા મળતા નથી.
પીએમ કેર ફંડનો ઉપયોગ સમયાંતરે ઇમરજન્સી કેર વધારવા માટે કરવામાં આવ્યો. કેન્દ્ર અને રાજ્ય સરકારોની હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવા અને વેન્ટિલેટર ખરીદવા પર પૈસા ખર્ચ કરવામાં આવ્યા.
2021-22માં પ્રેશર સ્વિંગ ઓક્સિજન પ્લાન્ટ પર 1,703 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા. વેન્ટિલેટર પર 835 કરોડ રૂપિયા ખર્ચ થયા. 2021-22માં ફંડનો કુલ ખર્ચ આશરે 1,938 કરોડ રૂપિયા હતો.