10માંથી 9 પાકિસ્તાનીઓએ ભારતને માન્યો ખતરો

10 માંથી 9 પાકિસ્તાનીઓ ભારતને ખતરો માને છે, આ વાત અમેરિકી પ્યુ રિસર્ચ સેન્ટરના સર્વેમાં સામે આવી છે. ભારતીયો પણ પોતાનો સૌથી મોટો દુશ્મન પાકિસ્તાનને જ માને છે. સર્વેમાં કહેવામાં આવ્યું કે બંને દેશોના લોકો પાડોશી સાથે સારા સંબંધો ઈચ્છે છે, પરંતુ વિશ્વાસનો અભાવ છે.

ભારત પોતાનો સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર રશિયાને માને છે. જ્યારે, પાકિસ્તાને ચીનને પોતાનો સૌથી મોટો સહયોગી દેશ માન્યો છે.

સર્વેમાં ભારત-પાકિસ્તાન વચ્ચેના તાજેતરના તણાવનો પણ ઉલ્લેખ છે. 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ 26 લોકોની હત્યા કરી હતી.

આ પછી ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા. સર્વે મુજબ, આ પછી બંને દેશો વચ્ચે સૈન્ય અને તણાવ વધી ગયો.

ભારત સરકારે 1960ની સિંધુ જળ સંધિને રોકવાનો નિર્ણય કર્યો. પાકિસ્તાનની ખેતી અને પાણીની જરૂરિયાતનો મોટો ભાગ સિંધુ નદી પર નિર્ભર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *