મહિને 25000 પગાર હશે તો પણ મળશે પેન્શન!

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) હેઠળ એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આ ફેરફાર પગાર અને પેન્શનને લઈને થવાનો છે. સમાચાર છે કે સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓને પણ પેન્શનનો લાભ મળી શકે છે, જેમનો મૂળ પગાર 25,000 રૂપિયા છે. કારણ કે EPFOની ફરજિયાત પગાર મર્યાદા 15,000 રૂપિયાથી વધારીને ₹25,000 કરવામાં આવી છે.

સૂત્રો અનુસાર, આ મર્યાદા સપ્ટેમ્બર 2014માં છેલ્લીવાર સંશોધિત થયા પછી યથાવત રહી છે, એટલે કે લગભગ 12 વર્ષ પહેલાં ફેરફાર થયો હતો. રિપોર્ટ અનુસાર, તેમણે આગળ કહ્યું કે નવી મર્યાદાનો ઉદ્દેશ્ય કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના PF અને પેન્શન કવરેજને વધુ પગારદાર કર્મચારીઓ સુધી ફેલાવવાનો છે.

નાણા મંત્રાલયે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) અને કર્મચારી પેન્શન યોજના (EPS) હેઠળ ફરજિયાત પગાર મર્યાદાને 15000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. હવે તેને કેન્દ્રીય કેબિનેટ પાસે મોકલવામાં આવશે. આ નિયમ 20 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી તમામ રજિસ્ટર્ડ કંપનીઓ પર લાગુ પડશે.

ફરજિયાત પગાર મર્યાદા તે મહત્તમ મૂળભૂત પગાર છે, જેના પર પ્રોવિડન્ટ ફંડ (PF) અને પેન્શન (EPS)માં યોગદાન આપવું ફરજિયાત હોય છે. હાલમાં આ મર્યાદા 15,000 રૂપિયા છે, જેને વધારીને દર મહિને 25,000 રૂપિયા કરવાનો વિચાર છે. જોકે, જો તેનાથી વધુ પગાર હોય તો તેમને તેમાંથી બહાર થવાનો વિકલ્પ હતો અને કંપની 15000 રૂપિયા સુધી જ ફરજિયાત યોગદાન આપે છે.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને આ વર્ષે ઘણા મોટા બદલાવ કર્યા છે અને આ અપડેટ્સ EPF સભ્યો, પગારદાર કર્મચારીઓને જમા ભંડોળ સુધી પહોંચવા સાથે જ એકાઉન્ટ ટ્રાન્સફર, કાગળ વગર ઝડપથી PF ના પૈસા ઉપાડવાનું સરળ બનાવી રહ્યા છે. 2026 માં EPFO દ્વારા કરવામાં આવી રહેલા આવા જ પાંચ મોટા બદલાવો પર એક નજર કરીએ, જેમાંથી કેટલાક લાગુ થઈ ચૂક્યા છે, તો કેટલાક જલ્દી લાગુ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *