લલિત મોદી 16 વર્ષ પછી ભારત પરત ફરશે

IPLના સ્થાપક લલિત મોદી 16 વર્ષ પછી ભારત પાછા ફરવાની તૈયારીમાં છે. એક અપીલીય ટ્રિબ્યુનલે 16 જુલાઈએ IPL 2009ના દક્ષિણ આફ્રિકા આયોજન સાથે સંકળાયેલા FEMA કેસમાં ચુકાદો આપ્યો હતો. જેમાં મોદીને રાહત આપતા ED દ્વારા લાદવામાં આવેલો દંડ રદ કર્યો હતો.

ચુકાદા પછી લલિત મોદીએ કહ્યું કે હવે તેમની ભારત વાપસીનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો છે અને તેઓ આ વર્ષના અંત સુધીમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં ભારત પાછા ફરી શકે છે. તેમણે જણાવ્યું કે તેમની પુત્રી ઓક્ટોબરમાં બાળકને જન્મ આપવાની છે, જેના પછી તેઓ ભારત આવવાનું આયોજન કરી રહ્યા છે.

આ મામલો 2009માં IPLને ભારતથી દક્ષિણ આફ્રિકા લઈ જવાથી સંબંધિત છે. તે સમયે લોકસભા ચૂંટણીને કારણે સુરક્ષા કારણોસર ટૂર્નામેન્ટ ભારતથી દક્ષિણ આફ્રિકા ખસેડવામાં આવી હતી. તેના આયોજન માટે BCCIએ દક્ષિણ આફ્રિકામાં લગભગ 243.45 કરોડ રૂપિયા મોકલ્યા હતા.

બાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આરોપ લગાવ્યો કે આ રકમ ભારતીય રિઝર્વ બેંક (RBI)ની પૂર્વ મંજૂરી વિના વિદેશ મોકલવામાં આવી હતી, જેનાથી વિદેશી મુદ્રા વ્યવસ્થાપન અધિનિયમ (FEMA)નું ઉલ્લંઘન થયું. EDએ 2011માં નોટિસ જારી કરી અને 2018માં લલિત મોદી સહિત BCCIના કેટલાક પૂર્વ અધિકારીઓ પર દંડ ફટકાર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *