મંત્રી કુંવરજી બાવળીયાએ ઘેલા સોમનાથ ખાતે પ્રગતિ પથયાત્રા કરી

વિંછીયા તાલુકાના સોમપીપળીયા ગામ સ્થિત પવિત્ર ઘેલા સોમનાથ મંદિરે આજે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ‘પ્રગતિ પથયાત્રા’ અંતર્ગત મુલાકાત લીધી હતી.

મંત્રીશ્રીએ મહાદેવજીની વિધિવત પૂજા-આરતી કરી મંદિરના શિખર પર નૂતન ધ્વજાનું આરોહણ કરાવ્યું હતું. આ ઉપરાંત, તેમણે ગૌશાળાની મુલાકાત લઈ ગાયોની સારસંભાળ અને વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કર્યું હતું.

આ પ્રસંગે યોજાયેલી જાહેર સભામાં મંત્રીશ્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે લોકોને આ યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે આહ્વાન કર્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી આર.આર. ખાંભરા, મામલતદાર મહેશભાઈ બલીયા, તાલુકા વિકાસ અધિકારીઓ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *